તેજ ફેંકો તિમિરમાં

(નિરાધાર વૃધ્ધોના અને વિધવાઓના આધાર સમો એક અનન્ય વૃધ્ધાશ્રમ)

કમાયેલા ધનને સાચી દીસા માં યોગ્ય કામમાં વાપરવું એ જ એની સાચી દીસા છે. તળાવમાં ભરાઈ ગયેલા જળને વહેવળાવવું એ જ એની રક્ષાનો ઉપાય છે.

ધનનું સંચય કરવાથી નહિ, પણ દાન કરવાથી ગૌરવ વધે છે.જેમ કે, જળવર્ષા કરનાર મેઘનું સ્થાન ઊંચું છે અને જળસંચય કરનાર સાગરનું સ્થાન નીચું.

જે પારકા ની સેવા કરે છે તેના હૃદયમાં ઈશ્વર પોતાની મેળે અને પોતાની ગરજે વસવાટ કરે છે.આવા જ અનુભવજ્ઞાની નરસિંહ મહેતાએ ગાયું છે – “વેષ્ણ્વજ્ન તો તેને કહીએ , જે પીળ પરાઈ જાણે રે”

નમ્ર અપીલ

મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટ

નમ્ર અપીલ

મહાવીર કલ્યાણ અને વિકાસ ટ્રસ્ટના નેજા હેઠળ મહાવીર વૃધ્ધાશ્રમ છેલ્લા વીસ વર્ષથી કાર્યરત છે. આ વૃધ્ધાશ્રમમાં ગરીબ,નિરાધાર,વિધવા બહેનો,અંધ,અપંગ (વિકલાંગ),બહેરા-મૂંગા અને અશકતોને આશ્રય સ્થાન પુરું પાડતી રજીસ્ટર્ડ ચેરીટેબલ ટ્રસ્ટ છે તેના હિસાબો નિયમિત ઓડીટ થાય છે.૮૦(જી)હેઠળ ઇન્કમટેક્ષમાં કરમુક્તિ છે.હાલ જે બે માળનું મકાન છે. તેની બાજુમાં ખુલ્લી જમીન વેચાણ લઈ બાંધકામ કરવાનું છે. આ જમીન ખરીદી અને બાંધકામ કરવા માટે અંદાજે રૂપિયા એક કરોડ જેટલી રકમની તાતી જરૂર છે.નિરાધારને સુવિધા સજ્જ આરામદાયક આશ્રય આપવા સેવાભાવી સંસથાઓ, દાનવીર દાતાઓ ,લિમીટેડ કંપનીઓ,સંગઠનો વિગેરે વિગેરે યોગ્ય મદદ કરે તો માનવતાની જ્યોત પ્રગટે.

માનવ સેવા એ જ પ્રભુ સેવાના ધ્યેયથી કાર્યરત એવી આ સંસ્થાને દિલેરી દાતાઓ પોતાનું નાનું મોટું અનુદાન આપી સંસ્થાને આર્થિક રીતે પગભર કરી શકે. આવા સંજોગોમાં મહાવીર કલ્યાણ એન્ડ વિકાસ ટ્રસ્ટના નામે ચેક/ ડ્રાફ્ટ/રોકડાથી મદદરૂપ બનવા નમ્ર અપીલ કરીએ છીએ.



"નાત-જાત, ઉંચ-નીચ કે કોઇપણ ધાર્મિક ભેદભાવ સિવાય આ સંસ્થામાં પ્રવેશ આપવામાં આવે છે."

"જેનું કોઈ નથી તેના આપણે છીએ."

દાનની યોજનાઓ વૃધ્ધોને દત્તક લેવાની યોજના
(૧) મેઈન ગેટ ઉપર નામકરણ : ૧ કરોડ
(૨) મકાન ઉપર નામકરણ : ૫૧ લાખ
(૩) એક ફ્લોર ઉપર નામકરણ : ૨૧ લાખ
(૪) એક વીંગ ઉપર નામકરણ : ૧૧ લાખ
(૫) એક રૂમ ઉપર નામકરણ : ૫ લાખ
(૬) એક ગોલ્ડન દાતા : ૧ લાખ
(૭) એક સીલ્વર દાતા : ૫૧ હજાર
(૮) એક શુભેચ્છક દાતા : ૨૫૦૦૦ હજાર
(૯) એક સેવક દાતા : ૧૧૦૦૦ હજાર
(૧૦) દાતાની નામવલી તકતી મૂકવામાં આવશે.
(૧) એક વર્ષ માટે - રૂ! ૨૦૦૦૦/-
(૨) છ મહિના માટે - રૂ! ૧૦૦૦૦/-

ઉપર દર્શાવેલી યોજનાનો લાભ લેવા વિનંતી.


વધુ વિગત (પૂછપરછ) પ્રમુખ:

શ્રી માધવલાલ પુરોહિત

મો .: ૯૯૨૫૬ ૭૩૦૨૧
ફોન : (૦૨૬૩૪) ૨૮૫૧૨૧
મહાવીર વૃધ્ધાશ્રમ,વિશ્રામગૃહની આગળ ,
બીલીમોરા (વેસ્ટ)- ૩૯૬ ૩૨૧
તા. ગણદેવી , જિ. નવસારી.